જૈશના આતંકીઓના ખાતમા માટે બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વનો ખુલાસો થયો છે. એક વિદેશી પત્રકારે બાલાકોટ એર સ્ટ્રાઇકમાં જૈશના માર્યા ગયેલા આતંકીઓનો આંકડો જાહેર કર્યો છે. ઈટાલિયન પત્રકાર ફ્રેંસેસા મેરિનોએ વેબસાઈટ સ્ટ્રિંગર પર એવો દાવો કર્યો કે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલોકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં જૈશના ૧૭૦ આતંકીઓ માર્યા ગયા હતા અને તેમાં ૪૫ આતંકીઓ ઘાયલ થયા હતા જેમને મુજાહિદ્દીન કેમ્પમાં લવાયા હતા અને હજુ પણ તેમની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન ૨૦ આતંકીઓના મૃત્યુ થયાં હતાં. મેરિનોએ લખ્યું કે એર સ્ટ્રાઇકમાં આતંકીઓની ઉપરાંત પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હતા.
જૈશના આતંકીઓના ખાતમા માટે બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વનો ખુલાસો થયો છે. એક વિદેશી પત્રકારે બાલાકોટ એર સ્ટ્રાઇકમાં જૈશના માર્યા ગયેલા આતંકીઓનો આંકડો જાહેર કર્યો છે. ઈટાલિયન પત્રકાર ફ્રેંસેસા મેરિનોએ વેબસાઈટ સ્ટ્રિંગર પર એવો દાવો કર્યો કે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલોકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં જૈશના ૧૭૦ આતંકીઓ માર્યા ગયા હતા અને તેમાં ૪૫ આતંકીઓ ઘાયલ થયા હતા જેમને મુજાહિદ્દીન કેમ્પમાં લવાયા હતા અને હજુ પણ તેમની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન ૨૦ આતંકીઓના મૃત્યુ થયાં હતાં. મેરિનોએ લખ્યું કે એર સ્ટ્રાઇકમાં આતંકીઓની ઉપરાંત પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હતા.