Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્તોના કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ અર્થાત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા પોઝિટિવ દર્દીઓમાં સાજા થવાનો રેટ વધી રહ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ સંપુર્ણતઃ નિયંત્રણમાં હોવાનું જણાવતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ મંગળવારની સાંજે વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૬૭, વડોદરામાં ૨૭, સુરતમાં ૩૦ સહિત કૂલ ૩૬૨ પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા  ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા નવ હજારને નજીક ૮૯૦૪એ પહોંચી ગઈ છે. જો કે, એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ  ૪૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ મળતા ગુજરાતમા સાજા થઈ ઘરે પહોંચેલાની સંખ્યા પણ ૩૨૪૬એ પહોંચી છે. આ બંને પેરામિટર્સની વચ્ચે ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૧, રાજકોટ- સુરત- વડોદરામાં એક-એક એમ કુલ મળી ૨૪ નાગરીકોના મૃત્યુ થયાનું પણ મેડિકલ બુલેટિનમાં જણાવાયુ છે.
 

ગુજરાતમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્તોના કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ અર્થાત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા પોઝિટિવ દર્દીઓમાં સાજા થવાનો રેટ વધી રહ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ સંપુર્ણતઃ નિયંત્રણમાં હોવાનું જણાવતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ મંગળવારની સાંજે વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૬૭, વડોદરામાં ૨૭, સુરતમાં ૩૦ સહિત કૂલ ૩૬૨ પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા  ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા નવ હજારને નજીક ૮૯૦૪એ પહોંચી ગઈ છે. જો કે, એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ  ૪૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ મળતા ગુજરાતમા સાજા થઈ ઘરે પહોંચેલાની સંખ્યા પણ ૩૨૪૬એ પહોંચી છે. આ બંને પેરામિટર્સની વચ્ચે ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૧, રાજકોટ- સુરત- વડોદરામાં એક-એક એમ કુલ મળી ૨૪ નાગરીકોના મૃત્યુ થયાનું પણ મેડિકલ બુલેટિનમાં જણાવાયુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ