Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે ત્રણ મોટા ધાર્મિક સ્થળો અંબાજી, દ્વારકા અને પાલીતાણા સહિત કુલ 11 સ્થળોએ એરસ્ટ્રીપ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે અત્યાર સુધીમાં 56.46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદથી ધરોઇ સુધીની સી-પ્લેન યોજના માટે સિંચાઇ વિભાગની જમીન સંપાદન કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સિવિલ એવિયેશનના વિકાસ માટે એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં જમીન સંપાદન કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં શોધેલી જમીનમાં પ્રિ-ફિઝિબિલિટી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ