કોરોના સંકટના કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે ત્યારે આત્મનિર્ભર ભારત અંતર્ગત અંદાજીત 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે કડીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપણીએ પણ આત્મનિર્ભર ગુજરાત યોજના લોન્ચ કરી છે. જેના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેંકોના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.
કોરોના સંકટના કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે ત્યારે આત્મનિર્ભર ભારત અંતર્ગત અંદાજીત 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે કડીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપણીએ પણ આત્મનિર્ભર ગુજરાત યોજના લોન્ચ કરી છે. જેના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેંકોના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.