દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીના છેલ્લા તબક્કા માટે આવતીકાલે મતદાન થવાનું છે અને 23મી મેના રોજ પરિણામ જાહેર થશે અને ગઈ કાલે વડપ્રધાન મોદી અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રેસ વાર્તા કરી હતી અને સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. જયારે બીજીક બાજુ તો બીજી બાજુ વિપક્ષ ફરી ગઠબંધન કરવાની કવાયતમાં લાગી ગયો છે.
વિપક્ષ એવું માની રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે. આ સ્થિતિમાં વિપક્ષે બહુમતી કેવી રીતે મેળવવી તેના માટે કવાયત હાથ ધરી છે. આ મિશન અંતર્ગત આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી અને તેલુગુદેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ 'મિશન ગઠબંધન'ના ભરપુર પ્રયાસો શરૂ કરી દીધા છે.
ચંદ્રબાબુ નાયડુએ શનિવારના દિવસે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેઓ લખનૌ જઈ
અને બસપા સુપ્રીમો માયાવતી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ સાથે મુલાકાત કરશે. અગાઉ નાયડુએ શુક્રવારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.
દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીના છેલ્લા તબક્કા માટે આવતીકાલે મતદાન થવાનું છે અને 23મી મેના રોજ પરિણામ જાહેર થશે અને ગઈ કાલે વડપ્રધાન મોદી અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રેસ વાર્તા કરી હતી અને સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. જયારે બીજીક બાજુ તો બીજી બાજુ વિપક્ષ ફરી ગઠબંધન કરવાની કવાયતમાં લાગી ગયો છે.
વિપક્ષ એવું માની રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે. આ સ્થિતિમાં વિપક્ષે બહુમતી કેવી રીતે મેળવવી તેના માટે કવાયત હાથ ધરી છે. આ મિશન અંતર્ગત આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી અને તેલુગુદેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ 'મિશન ગઠબંધન'ના ભરપુર પ્રયાસો શરૂ કરી દીધા છે.
ચંદ્રબાબુ નાયડુએ શનિવારના દિવસે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેઓ લખનૌ જઈ
અને બસપા સુપ્રીમો માયાવતી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ સાથે મુલાકાત કરશે. અગાઉ નાયડુએ શુક્રવારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.