દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 62 લાખને પાર થઈ ગઈ છે. જેની સામે 51 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. પરંતુ કોવિડ-19 સામે લડતાં 97 હજારથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 80,472 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,179 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 62,25,764 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 51 લાખ 87 હજાર 826 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,40,441 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 97,497 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 62 લાખને પાર થઈ ગઈ છે. જેની સામે 51 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. પરંતુ કોવિડ-19 સામે લડતાં 97 હજારથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 80,472 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,179 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 62,25,764 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 51 લાખ 87 હજાર 826 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,40,441 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 97,497 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.