દેશમાં લોકડાઉન બાદપણ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવ કેસનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં હાલમાં રિકવરી રેટ 39.62 ટકા છે.
સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે રિકવરી રેટ 7.1 ટકા હતો, બીજા લોકડાઉ દરમિયાન 11.42 ટકા રહ્યો અને તે વધીને 26.59 ટકા થઈ ગયો. હાલમાં રિકવરી રેટ વધીને 39.62 ટકા થઈ ગયો છે. તેઓએ કહ્યું, દેશમાં કોરોના સંક્રમિત 61,149 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 42,298 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે.
દેશમાં લોકડાઉન બાદપણ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવ કેસનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં હાલમાં રિકવરી રેટ 39.62 ટકા છે.
સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે રિકવરી રેટ 7.1 ટકા હતો, બીજા લોકડાઉ દરમિયાન 11.42 ટકા રહ્યો અને તે વધીને 26.59 ટકા થઈ ગયો. હાલમાં રિકવરી રેટ વધીને 39.62 ટકા થઈ ગયો છે. તેઓએ કહ્યું, દેશમાં કોરોના સંક્રમિત 61,149 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 42,298 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે.