Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. એક સાથે સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં હાલ આ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જોકે, આજે મોરબી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. જ્યારે ગુજરાતમાં હવે ડાંગ અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લા કોરોનામુક્ત છે.

પ્રાપ્ત માહિત મુજબ, દ્વારકાના ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 7 દર્દીઓને આજે રજા અપાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તમામને સલાયા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે. જે તમામ હાલ રિકવર થઈ ગયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. એક સાથે સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં હાલ આ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જોકે, આજે મોરબી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. જ્યારે ગુજરાતમાં હવે ડાંગ અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લા કોરોનામુક્ત છે.

પ્રાપ્ત માહિત મુજબ, દ્વારકાના ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 7 દર્દીઓને આજે રજા અપાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તમામને સલાયા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે. જે તમામ હાલ રિકવર થઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ