તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. હવે ચૂંટણી પંચે રાજ્યસભાની 6 બેઠકો માટેની છૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં 2, એક બેઠક પર બિહારમાં અને બે બેઠકો પર ઓરિસ્સામાં પેટા ચૂંટણી યોજાશે.
લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો ગત ચૂંટણીમાં લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામા આપવા પડ્યા હતાં. ગુજરાતથી રાજ્યસભા પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે.
તો બિહારના રવિશંકર પ્રસાદ, ઓરિસ્સાથી અચ્યુત સામંત, પ્રતાપ કેસરી દેવ અને સૌમ્યરંજન પટનાયકે રાજીનામું આપતા તેમની બેઠકો ખાલી થઈ છે.
આ 6 બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસે હાલમાં જ કહ્યું હતું કે આ બે બેઠકો પર અલગ અલગ તારીખે ચૂંટણી યોજાય તેવો તેમને અંદેશો છે. જે શંકા હવે ખોટી ઠરી છે. આ પેટાચૂંટણીના પરિણામો 5મી જુલાઈએ જ જાહેર થઈ જશે.
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. હવે ચૂંટણી પંચે રાજ્યસભાની 6 બેઠકો માટેની છૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં 2, એક બેઠક પર બિહારમાં અને બે બેઠકો પર ઓરિસ્સામાં પેટા ચૂંટણી યોજાશે.
લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો ગત ચૂંટણીમાં લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામા આપવા પડ્યા હતાં. ગુજરાતથી રાજ્યસભા પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે.
તો બિહારના રવિશંકર પ્રસાદ, ઓરિસ્સાથી અચ્યુત સામંત, પ્રતાપ કેસરી દેવ અને સૌમ્યરંજન પટનાયકે રાજીનામું આપતા તેમની બેઠકો ખાલી થઈ છે.
આ 6 બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસે હાલમાં જ કહ્યું હતું કે આ બે બેઠકો પર અલગ અલગ તારીખે ચૂંટણી યોજાય તેવો તેમને અંદેશો છે. જે શંકા હવે ખોટી ઠરી છે. આ પેટાચૂંટણીના પરિણામો 5મી જુલાઈએ જ જાહેર થઈ જશે.