કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે, હા મેં મારા પિતા રાજીવ ગાંધી સાથે આઇએનએસ વિરાટની મુલાકાત લીધી હતી, પરંતુ તે એક સત્તાવાર મુલાકાત હતી. શા માટે કોઈ વ્યક્તિ રજાઓ માણવા યુદ્ધ જહાજ પર જશે? તે કોઈ ક્રૂઝ શિપ નથી. સ્વ. રાજીવ ગાંધીએ ૧૯૮૭માં વડા પ્રધાન હતા ત્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનો પ્રાઇવેટ ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો તેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તે એક સત્તાવાર મુલાકાત હતી. શા માટે કોઈ વ્યક્તિ રજાઓ માણવા યુદ્ધ જહાજ પર જશે?. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ના ચૂંટણી પ્રચારમાં મારા પિતા પર કરાઈ રહેલા શાબ્દિક હુમલાઓનો હું જવાબ આપવા માગતો નથી. મારા પિતા, મારા દાદી અને મારા પરદાદાને પીએમ મોદી જેટલું યાદ કરે છે તેટલું તો હું પણ યાદ કરતો નથી. પીએમ મોદીને એમ લાગે છે કે આમ કરવાથી તેઓ બચી જશે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે, હા મેં મારા પિતા રાજીવ ગાંધી સાથે આઇએનએસ વિરાટની મુલાકાત લીધી હતી, પરંતુ તે એક સત્તાવાર મુલાકાત હતી. શા માટે કોઈ વ્યક્તિ રજાઓ માણવા યુદ્ધ જહાજ પર જશે? તે કોઈ ક્રૂઝ શિપ નથી. સ્વ. રાજીવ ગાંધીએ ૧૯૮૭માં વડા પ્રધાન હતા ત્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનો પ્રાઇવેટ ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો તેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તે એક સત્તાવાર મુલાકાત હતી. શા માટે કોઈ વ્યક્તિ રજાઓ માણવા યુદ્ધ જહાજ પર જશે?. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ના ચૂંટણી પ્રચારમાં મારા પિતા પર કરાઈ રહેલા શાબ્દિક હુમલાઓનો હું જવાબ આપવા માગતો નથી. મારા પિતા, મારા દાદી અને મારા પરદાદાને પીએમ મોદી જેટલું યાદ કરે છે તેટલું તો હું પણ યાદ કરતો નથી. પીએમ મોદીને એમ લાગે છે કે આમ કરવાથી તેઓ બચી જશે.