નથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેની ટિપ્પણી કરીને ભોપાલનાં ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા। વિરુદ્ધ પીએમ નરેન્દ્ર મોદીએ સખત વલણ અપનાવીને કહ્યું હતું કે, પ્રજ્ઞા અને અન્ય લોકો બાપુ અને ગોડસે અંગે મનફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. તે સમાજ માટે ભયંકર છે. પ્રજ્ઞાએ ભલે માફી માગી લીધી હોય પણ હું તેમને મનથી ક્યારેય માફ નહીં કરું. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ગાંધી અને ગોડસે સંબંધિત ટિપ્પણી ભયંકર ખરાબ છે, દરેક પ્રકારે ધૃણાલાયક છે. ટીકાને લાયક છે. સભ્ય સમાજમાં આવી વાત કરી શકાય નહીં. આવું કહેનારાઓએ હવે બોલતા પહેલાં ૧૦૦ વખત વિચારવાનું રહેશે. સાધ્વીનાં ગોડસેનાં નિવેદનને પાર્ટીનાં અનેક નેતાઓએ ટેકો આપ્યો હતો પણ મોવડીમંડળે આક્રમક વલણ અપનાવતા સ્થિતિ થાળે પડી હતી.
નથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેની ટિપ્પણી કરીને ભોપાલનાં ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા। વિરુદ્ધ પીએમ નરેન્દ્ર મોદીએ સખત વલણ અપનાવીને કહ્યું હતું કે, પ્રજ્ઞા અને અન્ય લોકો બાપુ અને ગોડસે અંગે મનફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. તે સમાજ માટે ભયંકર છે. પ્રજ્ઞાએ ભલે માફી માગી લીધી હોય પણ હું તેમને મનથી ક્યારેય માફ નહીં કરું. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ગાંધી અને ગોડસે સંબંધિત ટિપ્પણી ભયંકર ખરાબ છે, દરેક પ્રકારે ધૃણાલાયક છે. ટીકાને લાયક છે. સભ્ય સમાજમાં આવી વાત કરી શકાય નહીં. આવું કહેનારાઓએ હવે બોલતા પહેલાં ૧૦૦ વખત વિચારવાનું રહેશે. સાધ્વીનાં ગોડસેનાં નિવેદનને પાર્ટીનાં અનેક નેતાઓએ ટેકો આપ્યો હતો પણ મોવડીમંડળે આક્રમક વલણ અપનાવતા સ્થિતિ થાળે પડી હતી.