ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. પણ વાયુની અસરના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યા પર ભારે પવનના કારણે ઘરના છાપરા ઉડી ગયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. વાયુની અસરના પગલે ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કારણ કે, કેટલાક થાંભલાઓ પવનના કારણે પડી ગયા હતા. તો કેટલાક થાંભલાઓ નમી ગયા હતા. વાયુ નામનો ખતરો ઓમાન તરફ ફંટાઈ ગયા બાદ તે પુન: કચ્છ તરફ વળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ કાલે એટલે કે, શનિવારના રોજ આ વાવાઝોડું ભુજથી 462 કિલોમીટર દૂર રહ્યું હતુ. આજે આ વાવાઝોડું સાંજે દિશા બદલીને કચ્છ તરફ આવી શકે છે અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે છે.
ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. પણ વાયુની અસરના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યા પર ભારે પવનના કારણે ઘરના છાપરા ઉડી ગયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. વાયુની અસરના પગલે ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કારણ કે, કેટલાક થાંભલાઓ પવનના કારણે પડી ગયા હતા. તો કેટલાક થાંભલાઓ નમી ગયા હતા. વાયુ નામનો ખતરો ઓમાન તરફ ફંટાઈ ગયા બાદ તે પુન: કચ્છ તરફ વળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ કાલે એટલે કે, શનિવારના રોજ આ વાવાઝોડું ભુજથી 462 કિલોમીટર દૂર રહ્યું હતુ. આજે આ વાવાઝોડું સાંજે દિશા બદલીને કચ્છ તરફ આવી શકે છે અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે છે.