અંતરિક્ષમાં ઉપગ્રહોની સ્થાપના, ચંદ્ર અને મંગળ પર યાન મોકલવામાં સફળતા હાંસલ કર્યા પછી ભારત અંતરિક્ષમાં નવી દિશાઓમાં ડગલાં માંડવાની તૈયારી કરી રહ્યો છે. ઈસરોના વડા કે સિવાનના જણાવ્યા અનુસાર ભારત આગામી સાત વર્ષમાં અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરશે. નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના રાજ્યકક્ષા।ના મંત્રી જિતેન્દ્રસિંહ સાથે પત્રકારોને સંબોધિત કરતાં સિવાને જણાવ્યું હતું કે, ભારતના સ્પેસ સ્ટેશનનો પ્રોજેક્ટ ગગનયાન પ્રોજેક્ટનું જ વિસ્તરણ હશે. ગગનયાન અંતર્ગત ૨૦૨૨માં ભારત પહેલીવાર માનવીને અંતરિક્ષમાં મોકલવાનો પ્રયાસ કરશે.
અંતરિક્ષમાં ઉપગ્રહોની સ્થાપના, ચંદ્ર અને મંગળ પર યાન મોકલવામાં સફળતા હાંસલ કર્યા પછી ભારત અંતરિક્ષમાં નવી દિશાઓમાં ડગલાં માંડવાની તૈયારી કરી રહ્યો છે. ઈસરોના વડા કે સિવાનના જણાવ્યા અનુસાર ભારત આગામી સાત વર્ષમાં અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરશે. નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના રાજ્યકક્ષા।ના મંત્રી જિતેન્દ્રસિંહ સાથે પત્રકારોને સંબોધિત કરતાં સિવાને જણાવ્યું હતું કે, ભારતના સ્પેસ સ્ટેશનનો પ્રોજેક્ટ ગગનયાન પ્રોજેક્ટનું જ વિસ્તરણ હશે. ગગનયાન અંતર્ગત ૨૦૨૨માં ભારત પહેલીવાર માનવીને અંતરિક્ષમાં મોકલવાનો પ્રયાસ કરશે.