પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે જય શ્રી રામના નારા મુદ્દે મમતા બેનરજીને પડકાર ફેંક્યો છે. જાધવપુરની રેલી રદ થયા પછી તેમણે મમતા સામે બાંયો ચડાવી છે. શાહે જોયનગરની રેલીમાં જયશ્રી રામના નારા સાથે ભાષણ શરૂ કર્યું હતું અને મમતાને પડકાર ફેંક્યો હતો કે કોલકાતા આવી રહ્યો છું. તમારામાં હિંમત હોય તો મારી ધરપકડ કરજો. શાહની જાધવપુરમાં રેલી યોજાવાની હતી પણ સરકારે તેમને હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી નહીં આપતા શાહે રેલી રદ કરવાની ફરજ પડી છે. શાહે કહ્યું કે જાધવપુરની સીટ મમતાનાં ભત્રીજાની છે તેથી તેમને હારી જવાનો ડર હોવાથી રેલીને મંજૂરી આપી નથી. જો કે તેમની કેનિંગ, રાજરહાટની રેલી યથાવત્ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે જય શ્રી રામના નારા મુદ્દે મમતા બેનરજીને પડકાર ફેંક્યો છે. જાધવપુરની રેલી રદ થયા પછી તેમણે મમતા સામે બાંયો ચડાવી છે. શાહે જોયનગરની રેલીમાં જયશ્રી રામના નારા સાથે ભાષણ શરૂ કર્યું હતું અને મમતાને પડકાર ફેંક્યો હતો કે કોલકાતા આવી રહ્યો છું. તમારામાં હિંમત હોય તો મારી ધરપકડ કરજો. શાહની જાધવપુરમાં રેલી યોજાવાની હતી પણ સરકારે તેમને હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી નહીં આપતા શાહે રેલી રદ કરવાની ફરજ પડી છે. શાહે કહ્યું કે જાધવપુરની સીટ મમતાનાં ભત્રીજાની છે તેથી તેમને હારી જવાનો ડર હોવાથી રેલીને મંજૂરી આપી નથી. જો કે તેમની કેનિંગ, રાજરહાટની રેલી યથાવત્ છે.