બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી તેમજ ભાજપ અને સંઘ પર નિશાન તાક્યું હતું. ચૂંટણીમાં મોદી સરકારની નાવ ડૂબી રહી છે અને આરએસએસ એ પણ ભાજપનો સાથે છોડયો છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, હવે ચૂંટણીમાં ભાજપ માટે કામ કરતા સંઘનાં ઝોળી લઈને ફરતા સ્વયંસેવકો ગુમ થઈ ગયા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, મોદી સરકારે વચનોનું પાલન નહીં કરતા તેની સામે લોકોનો આક્રોશ ભભૂકી ઊઠયો છે અને સંઘનાં ઝોળી લઈને ફરતા કાર્યકરો અદૃશ્ય થઈ ગયા છે. આને કારણે મોદીને પરસેવો છૂટી ગયો છે.
બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી તેમજ ભાજપ અને સંઘ પર નિશાન તાક્યું હતું. ચૂંટણીમાં મોદી સરકારની નાવ ડૂબી રહી છે અને આરએસએસ એ પણ ભાજપનો સાથે છોડયો છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, હવે ચૂંટણીમાં ભાજપ માટે કામ કરતા સંઘનાં ઝોળી લઈને ફરતા સ્વયંસેવકો ગુમ થઈ ગયા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, મોદી સરકારે વચનોનું પાલન નહીં કરતા તેની સામે લોકોનો આક્રોશ ભભૂકી ઊઠયો છે અને સંઘનાં ઝોળી લઈને ફરતા કાર્યકરો અદૃશ્ય થઈ ગયા છે. આને કારણે મોદીને પરસેવો છૂટી ગયો છે.