Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી – ૨૦૧૯માં ભાજપ વર્ષ ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો મેળવશે તેવો દાવો કરતાં ભાજપ પ્રમુખ અમિત શાહે ધારણા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે ભાજપ વધારાની ૫૫ નવી બેઠકો પર વિજય મેળવશે.
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા મોદીની થઇ રહેલી આલોચનાને મુદ્દે ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે તેઓ પોતાના ભૂતકાળથી ભાગી ના શકે. અમિત શાહે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા અને ગાંધી પરિવારના હતા તે કારણસર તેમની ટીકા શા માટે ના થઇ શકે? શું રાજીવ શાસનકાળ વખતે બોફોર્સ કાંડ નહોતું થયું, ભોપાલ ગેસ કાંડના આરોપી ભાગી નહોતા ગયા? આ પ્રશ્ને ચર્ચા શા માટે ના થવી જોઇએ? અમિત શાહે રાષ્ટ્રવાદ અને વિકાસ લહર પર ભાજપ ફરી સત્તામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

લોકસભા ચૂંટણી – ૨૦૧૯માં ભાજપ વર્ષ ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો મેળવશે તેવો દાવો કરતાં ભાજપ પ્રમુખ અમિત શાહે ધારણા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે ભાજપ વધારાની ૫૫ નવી બેઠકો પર વિજય મેળવશે.
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા મોદીની થઇ રહેલી આલોચનાને મુદ્દે ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે તેઓ પોતાના ભૂતકાળથી ભાગી ના શકે. અમિત શાહે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા અને ગાંધી પરિવારના હતા તે કારણસર તેમની ટીકા શા માટે ના થઇ શકે? શું રાજીવ શાસનકાળ વખતે બોફોર્સ કાંડ નહોતું થયું, ભોપાલ ગેસ કાંડના આરોપી ભાગી નહોતા ગયા? આ પ્રશ્ને ચર્ચા શા માટે ના થવી જોઇએ? અમિત શાહે રાષ્ટ્રવાદ અને વિકાસ લહર પર ભાજપ ફરી સત્તામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ