કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસ માટે પ્રચાર કરી રહેલા સિદ્ધૂ ઘણીવાર પોતાના નિવેદનોથી પોતાના માટે તેમજ પાર્ટી માટે મુસીબત ઊભી કરી દે છે. ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે વોટ માગી રહેલા નવજોત સિંહ સિદ્ધૂએ રંગભેદી ટિપ્પણી કરી. નવજોત સિંહ સિદ્ધૂ અહીં BJP પર ખૂબ વરસ્યા અને કહ્યું કે, કોંગ્રેસે દેશને ગોરા અંગ્રેજોથી આઝાદી અપાવી. BJP પર હુમલો કરતા યોજાયેલી ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે, ઈન્દોરવાળા આ દેશને કાળા અંગ્રેજોથી છૂટકારો અપાવશે.
કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસ માટે પ્રચાર કરી રહેલા સિદ્ધૂ ઘણીવાર પોતાના નિવેદનોથી પોતાના માટે તેમજ પાર્ટી માટે મુસીબત ઊભી કરી દે છે. ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે વોટ માગી રહેલા નવજોત સિંહ સિદ્ધૂએ રંગભેદી ટિપ્પણી કરી. નવજોત સિંહ સિદ્ધૂ અહીં BJP પર ખૂબ વરસ્યા અને કહ્યું કે, કોંગ્રેસે દેશને ગોરા અંગ્રેજોથી આઝાદી અપાવી. BJP પર હુમલો કરતા યોજાયેલી ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે, ઈન્દોરવાળા આ દેશને કાળા અંગ્રેજોથી છૂટકારો અપાવશે.