Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીએના કાર્યકાળમાં ભારતીય સેના દ્વારા સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દાવાને ફગાવી દેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી જાણમાં છે ત્યાં સુધી યુપીએ સરકારના સમયમાં કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ નહોતી. યુપીએના કાર્યકાળ દરમિયાન રહેલા સેનાધ્યક્ષો પણ કહી ચૂક્યાં છે કે, તેમને આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ માહિતી નથી. મોદીએ જણાવ્યું હતું કે, હું એટલું કહી શકું છું કે, મને યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકના કોઇ રેકોર્ડ મળ્યાં નથી.  મોદીએ જણાવ્યું હતું કે, એક દાયકા કે તેના કરતાં વધુ સમયથી ભારત સરકારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દે પોતાના હાથ બાંધી દીધા હતા. પાકિસ્તાન એક પછી એક હુમલા કરે જતો હતો અને હુમલાના કાવતરાખોરો સામે કોઇ પગલાં લેવાતાં નહોતાં.

યુપીએના કાર્યકાળમાં ભારતીય સેના દ્વારા સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દાવાને ફગાવી દેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી જાણમાં છે ત્યાં સુધી યુપીએ સરકારના સમયમાં કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ નહોતી. યુપીએના કાર્યકાળ દરમિયાન રહેલા સેનાધ્યક્ષો પણ કહી ચૂક્યાં છે કે, તેમને આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ માહિતી નથી. મોદીએ જણાવ્યું હતું કે, હું એટલું કહી શકું છું કે, મને યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકના કોઇ રેકોર્ડ મળ્યાં નથી.  મોદીએ જણાવ્યું હતું કે, એક દાયકા કે તેના કરતાં વધુ સમયથી ભારત સરકારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દે પોતાના હાથ બાંધી દીધા હતા. પાકિસ્તાન એક પછી એક હુમલા કરે જતો હતો અને હુમલાના કાવતરાખોરો સામે કોઇ પગલાં લેવાતાં નહોતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ