Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે મેરાથોન બેઠકમાં લૉકડાઉન વચ્ચે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા બાબતે રણનીતિ પર સારી એવી ચર્ચા થઈ છે. PM મોદીએ સંકેત આપ્યા છે કે, લૉકડાઉનના આગામી તબક્કાની કમાન રાજ્ય ખુદ સંભાળે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોનાને હરાવવા માટે “જન સે જગ” તક ભાગીદારી જરૂરી છે. જેમાં દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે.

વડાપ્રધાન મોદીએ બેઠકમાં મુખ્યમંત્રીઓ પાસેથી 17-મે પછીની લૉકડાઉનની સ્થિતિને લઈને ફીડબેક લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, તમારા લોકોના ઉત્સાહના કારણે જ આપણે આ લડાઈ જીતી શકીશું. જે લોકો પોતાની વાત રજૂ નથી કરી શક્યા, તેઓ પોતાના સૂચનો 15 મે સુધી પ્રધાનમંત્રી કાર્યાલય સુધી મોકલી દે.

PM મોદીએ કહ્યું કે, લૉકડાઉનના સબંધમાં હવે રાજ્યો જ લીડ કરશે. જેમાં કેટલીક સામાન્ય ગાઈડલાઈન્સને બાદ કરતા રાજ્ય પોતાની પરિસ્થિતિઓને અનુરૂપ કાર્ય કરી શકશે. જ્યાં સુધી વૅક્સીન ના બને, ત્યાં સુધી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવાનો એકમાત્ર ઉપાય લૉકડાઉન જ છે. આથી લૉકડાઉનને સમાપ્ત ના કરી શકાય. આપણે મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવીશું. આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ પણ કેટલાક ઉપયોગી સૂચનો આપ્યા છે.

PM મોદીએ મુખ્યમંત્રીઓને સંબોધિત કરતા કહ્યું કે, આગામી 15-મે પહેલા રાજ્યો ચોથા લૉકડાઉન સંદર્ભે પોતાની રણનીતિ બનાવીને મોકલે. જેમાં મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યમાં કેવા પ્રકારની યોજના લાગૂ કરવા માંગે છે, તેના મેપ અને લૉજિક સહિત ભારત સરકારને મોકલે. લૉકડાઉનનો બીજો તબક્કો 18-મેથી શરૂ થશે, પરંતુ આ તબક્કાનું સ્વરૂપ અલગ રહેશે.

PM મોદીએ જણાવ્યું કે, પ્રી-કોરોના દુનિયાથી પોસ્ટ કોરોના દુનિયા બદલાઈ ચૂકી હશે. આપણે તેના અનુરૂપ એક નવી જીવનશૈલી અપનાવવી પડશે અને તેના અનુરૂપ કાર્ય કરવાનું રહેશે. હવે આપણે રાહ ના જોઈ શકીએ. રાજ્યોએ પણ આ દિશામાં નેતૃત્વ કરવું પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે મેરાથોન બેઠકમાં લૉકડાઉન વચ્ચે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા બાબતે રણનીતિ પર સારી એવી ચર્ચા થઈ છે. PM મોદીએ સંકેત આપ્યા છે કે, લૉકડાઉનના આગામી તબક્કાની કમાન રાજ્ય ખુદ સંભાળે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોનાને હરાવવા માટે “જન સે જગ” તક ભાગીદારી જરૂરી છે. જેમાં દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે.

વડાપ્રધાન મોદીએ બેઠકમાં મુખ્યમંત્રીઓ પાસેથી 17-મે પછીની લૉકડાઉનની સ્થિતિને લઈને ફીડબેક લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, તમારા લોકોના ઉત્સાહના કારણે જ આપણે આ લડાઈ જીતી શકીશું. જે લોકો પોતાની વાત રજૂ નથી કરી શક્યા, તેઓ પોતાના સૂચનો 15 મે સુધી પ્રધાનમંત્રી કાર્યાલય સુધી મોકલી દે.

PM મોદીએ કહ્યું કે, લૉકડાઉનના સબંધમાં હવે રાજ્યો જ લીડ કરશે. જેમાં કેટલીક સામાન્ય ગાઈડલાઈન્સને બાદ કરતા રાજ્ય પોતાની પરિસ્થિતિઓને અનુરૂપ કાર્ય કરી શકશે. જ્યાં સુધી વૅક્સીન ના બને, ત્યાં સુધી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવાનો એકમાત્ર ઉપાય લૉકડાઉન જ છે. આથી લૉકડાઉનને સમાપ્ત ના કરી શકાય. આપણે મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવીશું. આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ પણ કેટલાક ઉપયોગી સૂચનો આપ્યા છે.

PM મોદીએ મુખ્યમંત્રીઓને સંબોધિત કરતા કહ્યું કે, આગામી 15-મે પહેલા રાજ્યો ચોથા લૉકડાઉન સંદર્ભે પોતાની રણનીતિ બનાવીને મોકલે. જેમાં મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યમાં કેવા પ્રકારની યોજના લાગૂ કરવા માંગે છે, તેના મેપ અને લૉજિક સહિત ભારત સરકારને મોકલે. લૉકડાઉનનો બીજો તબક્કો 18-મેથી શરૂ થશે, પરંતુ આ તબક્કાનું સ્વરૂપ અલગ રહેશે.

PM મોદીએ જણાવ્યું કે, પ્રી-કોરોના દુનિયાથી પોસ્ટ કોરોના દુનિયા બદલાઈ ચૂકી હશે. આપણે તેના અનુરૂપ એક નવી જીવનશૈલી અપનાવવી પડશે અને તેના અનુરૂપ કાર્ય કરવાનું રહેશે. હવે આપણે રાહ ના જોઈ શકીએ. રાજ્યોએ પણ આ દિશામાં નેતૃત્વ કરવું પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ