આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાંચમા વિશ્વ યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં અંદાજે 40 હજારથી પણ વધારે લોકો સાથે યોગા કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહ્યાં. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ પર લોકો યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન રાંચીમાં અચાનક હવામાન બદલાતાં કેટલાંક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
રાંચી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન જેવુ પુર થયુ ત્યારબાદ તેઓ યોગ કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી જેવા યોગ કરવા પહોંચ્યા કે વરસાદ શરૂ થયો હતો. રાંચીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ-દુનિયાના અનેક ભાગમાં લાખો લોકો યોગ દિવસ મનાવી રહ્યાં છે.
આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાંચમા વિશ્વ યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં અંદાજે 40 હજારથી પણ વધારે લોકો સાથે યોગા કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહ્યાં. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ પર લોકો યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન રાંચીમાં અચાનક હવામાન બદલાતાં કેટલાંક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
રાંચી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન જેવુ પુર થયુ ત્યારબાદ તેઓ યોગ કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી જેવા યોગ કરવા પહોંચ્યા કે વરસાદ શરૂ થયો હતો. રાંચીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ-દુનિયાના અનેક ભાગમાં લાખો લોકો યોગ દિવસ મનાવી રહ્યાં છે.