રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતના ૩ ભાજપી નેતાઓ સામે લાલ આંખ કરી છે. શુક્રવારે અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, નથુરામ ગોડસે અંગે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કાટીલ દ્વારા અપાયેલાં નિવેદનો ભાજપની વિચારધારા સાથે બેસતા નથી. ત્રણે નેતાઓને શો કોઝ નોટિસ પાઠવી ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ત્રણે નેતાઓ સામે શિસ્ત સમિતિ દ્વારા ૧૦ દિવસમાં પાર્ટીને રિપોર્ટ સોંપવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતના ૩ ભાજપી નેતાઓ સામે લાલ આંખ કરી છે. શુક્રવારે અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, નથુરામ ગોડસે અંગે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કાટીલ દ્વારા અપાયેલાં નિવેદનો ભાજપની વિચારધારા સાથે બેસતા નથી. ત્રણે નેતાઓને શો કોઝ નોટિસ પાઠવી ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ત્રણે નેતાઓ સામે શિસ્ત સમિતિ દ્વારા ૧૦ દિવસમાં પાર્ટીને રિપોર્ટ સોંપવામાં આવશે.