લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર પડધમ થંભી ગયા છે. આવતી કાલે મતદાન થનાર છે. સૌકોઈની નજર હવે આવતી કાલે 19મે એ થનારા મતદાન અને 23મી મે એ સામે આવનારા પરિણામો પર અટકી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાંથી પરવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર પડધમ થંભી ગયા છે. આવતી કાલે મતદાન થનાર છે. સૌકોઈની નજર હવે આવતી કાલે 19મે એ થનારા મતદાન અને 23મી મે એ સામે આવનારા પરિણામો પર અટકી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાંથી પરવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.