પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા નૌકાદળનાં જહાજ INS વિરાટનો રજાઓ ગાળવા પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાનાં આક્ષેપો પર દેશમાં રાજકીય ઘમસાણ મચ્યું છે. અલબત્ત પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને આ આક્ષેપોને સત્યથી વેગળા ગણીને ફગાવ્યા છે. પૂર્વ ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ એલ. રામદાસ (નિવૃત્ત) દ્વારા તેનો પોઇન્ટ ટુ પોઇન્ટ ઉલ્લેખ કરાયો છે. રામદાસે જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ રાજીવ ગાંધી દ્વારા રજાઓ મનાવવાની વાત સાચી નથી. તે દિવસે તત્કાલીન પીએમ રાજીવ ગાંધી અને તેમના પત્ની સત્તાવાર પ્રવાસે હતા તેમની સાથે કોઈ વિદેશી ન હતું.
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા નૌકાદળનાં જહાજ INS વિરાટનો રજાઓ ગાળવા પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાનાં આક્ષેપો પર દેશમાં રાજકીય ઘમસાણ મચ્યું છે. અલબત્ત પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને આ આક્ષેપોને સત્યથી વેગળા ગણીને ફગાવ્યા છે. પૂર્વ ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ એલ. રામદાસ (નિવૃત્ત) દ્વારા તેનો પોઇન્ટ ટુ પોઇન્ટ ઉલ્લેખ કરાયો છે. રામદાસે જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ રાજીવ ગાંધી દ્વારા રજાઓ મનાવવાની વાત સાચી નથી. તે દિવસે તત્કાલીન પીએમ રાજીવ ગાંધી અને તેમના પત્ની સત્તાવાર પ્રવાસે હતા તેમની સાથે કોઈ વિદેશી ન હતું.