ભોપાલથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નેતા સાધ્વી પ્રજ્ઞા।એ ગુરુવારે વિવાદિત નિવેદન કરીને ભાજપને ફિક્સમાં મૂક્યું હતું. ગાંધીજીનાં હત્યારા નથુરામ ગોડસેને તેમણે દેશભક્ત ગણાવ્યા હતા. પ્રજ્ઞા।એ કહ્યું હતું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. તેમની આવી ટિપ્પણીથી વિવાદ સર્જાયો હતો. ભાજપએ સાધ્વી પ્રજ્ઞા।નાં આ નિવેદનથી અંતર જાળવ્યું હતું અને સાધ્વીએ આ માટે માફી માગવી જોઈએ તેવી સ્પષ્ટતા કરી હતી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહરાવે ખુલાસો કર્યો હતો કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા।નાં નિવેદન સાથે સંમત નથી. અમે આ ટિપ્પણીની નિંદા કરીએ છીએ. પાર્ટી આ માટે સાધ્વી પાસે ખુલાસો માગશે. તેમણે આ વિવાદિત નિવેદન માટે માફી માગવી જોઈએ.
ભોપાલથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નેતા સાધ્વી પ્રજ્ઞા।એ ગુરુવારે વિવાદિત નિવેદન કરીને ભાજપને ફિક્સમાં મૂક્યું હતું. ગાંધીજીનાં હત્યારા નથુરામ ગોડસેને તેમણે દેશભક્ત ગણાવ્યા હતા. પ્રજ્ઞા।એ કહ્યું હતું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. તેમની આવી ટિપ્પણીથી વિવાદ સર્જાયો હતો. ભાજપએ સાધ્વી પ્રજ્ઞા।નાં આ નિવેદનથી અંતર જાળવ્યું હતું અને સાધ્વીએ આ માટે માફી માગવી જોઈએ તેવી સ્પષ્ટતા કરી હતી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહરાવે ખુલાસો કર્યો હતો કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા।નાં નિવેદન સાથે સંમત નથી. અમે આ ટિપ્પણીની નિંદા કરીએ છીએ. પાર્ટી આ માટે સાધ્વી પાસે ખુલાસો માગશે. તેમણે આ વિવાદિત નિવેદન માટે માફી માગવી જોઈએ.