જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક વ્યસ્ત રોડ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા તથા ૫ લોકો ઘવાયા હતા. ઘાયલોમાં જમ્મુ કાશ્મીર પોલીસના ઈન્સપેક્ટર પણ સામેલ છે. અનંતનાગના વ્યસ્ત કેપી રોડ પર સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ જઈ રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે નકાબપોશ આતંકીઓએ ઓટોમેટિક રાઈફલ વડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તથા ટીમ પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા જેમાં ૫ જવાનો શહીદ થયા હતા તથા એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૫ ઘાયલ થયા હતા. ત્યાર બાદ જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો જેમાં બે આતંકી ઠાર થયા હતા, તો એક છોકરીનું પણ મોત થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક વ્યસ્ત રોડ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા તથા ૫ લોકો ઘવાયા હતા. ઘાયલોમાં જમ્મુ કાશ્મીર પોલીસના ઈન્સપેક્ટર પણ સામેલ છે. અનંતનાગના વ્યસ્ત કેપી રોડ પર સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ જઈ રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે નકાબપોશ આતંકીઓએ ઓટોમેટિક રાઈફલ વડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તથા ટીમ પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા જેમાં ૫ જવાનો શહીદ થયા હતા તથા એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૫ ઘાયલ થયા હતા. ત્યાર બાદ જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો જેમાં બે આતંકી ઠાર થયા હતા, તો એક છોકરીનું પણ મોત થયું હતું.