ભારતીય વાયુસેનાની સતર્કતાનું એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ભારતીય વાયુસેનાએ કરાંચીથી ભારતીય સીમામાં ઘૂસી આવેલા જ્યોર્જિયાના કાર્ગો વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારી મૂકવાની ફરજ પાડી હતી. આ વિમાન એન્ટોનોવ એએન-૧૨ હેવી કાર્ગો વિમાન હતું જેને કરાંચીથી દિલ્હી જવાનું હતું પરંતુ અચાનક તેણે રૂટ બદલી નાખ્યો હતો. કાર્ગો વિમાન કચ્છ સરહદેથી ભારતમાં ઘૂસ્યું હતું અને રાજસ્થાન તરફ આગળ જવા લાગ્યું હતું. રડારમાં કાર્ગો વિમાન માલૂમ પડતાં આ જોઈને એટીસે કાર્ગો વિમાનના ચાલકને ચેતવણી આપી હતી. પરંતુ ચેતવણીની અવગણના કરીને પણ વિમાન આગળ વધતુ રહ્યું હતું. વિમાનની સંદિગ્ધ હરકતો બાદ એરફોર્સને ચપળતા દાખવી હતી અને તેના બે સુખોઈ લડાકુ વિમાનોને જોધપુરથી રવાના કર્યા હતા. સુખોઈએ જ્યોર્જિયાના આ વિમાનને આતરી લીધું હતું અને તેને જયપુર એરપોર્ટ પર લઈ ગયા હતા.
ભારતીય વાયુસેનાની સતર્કતાનું એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ભારતીય વાયુસેનાએ કરાંચીથી ભારતીય સીમામાં ઘૂસી આવેલા જ્યોર્જિયાના કાર્ગો વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારી મૂકવાની ફરજ પાડી હતી. આ વિમાન એન્ટોનોવ એએન-૧૨ હેવી કાર્ગો વિમાન હતું જેને કરાંચીથી દિલ્હી જવાનું હતું પરંતુ અચાનક તેણે રૂટ બદલી નાખ્યો હતો. કાર્ગો વિમાન કચ્છ સરહદેથી ભારતમાં ઘૂસ્યું હતું અને રાજસ્થાન તરફ આગળ જવા લાગ્યું હતું. રડારમાં કાર્ગો વિમાન માલૂમ પડતાં આ જોઈને એટીસે કાર્ગો વિમાનના ચાલકને ચેતવણી આપી હતી. પરંતુ ચેતવણીની અવગણના કરીને પણ વિમાન આગળ વધતુ રહ્યું હતું. વિમાનની સંદિગ્ધ હરકતો બાદ એરફોર્સને ચપળતા દાખવી હતી અને તેના બે સુખોઈ લડાકુ વિમાનોને જોધપુરથી રવાના કર્યા હતા. સુખોઈએ જ્યોર્જિયાના આ વિમાનને આતરી લીધું હતું અને તેને જયપુર એરપોર્ટ પર લઈ ગયા હતા.