લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કન્ટ્રોલ અંગે ચીને રજૂ કરેલા અર્થઘટનને ભારતે ફગાવ્યું હતું. ભારતે ચીનને સાફ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ૧૯૫૯માં ચીન દ્વારા લદ્દાખમાં એકપક્ષીય રીતે નક્કી કરવામાં આવેલી LACને ભારતે ક્યારેય સ્વીકારી જ નથી કે ચીનના આવા દાવા પર ક્યારેય સર્વસંમતિ સધાઈ જ નથી. આમ લદ્દાખમાં ૧૯૫૯ની LAC અંગે ચીનના દાવાને ભારતે ફગાવ્યો હતો. ચીન દ્વારા એકપક્ષીય રીતે LAC પરની હાલની સ્થિતિ બદલવા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે ભારતે કહ્યું હતું કે ચીન એકપક્ષીય રીતે સ્થિતિમાં ફેરફાર કરી શકે નહીં. બંને દેશો LAC ખાતે યથાસ્થિતિ જાળવવા પ્રતિબદ્ધ છે. ચીન દ્વારા ક્યારેય તૈયારી દર્શાવવામાં ન આવતા LAC ખાતે સીમાંકન કરવાની પ્રોસેસ હાથ ધરી શકાઈ નથી.
લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કન્ટ્રોલ અંગે ચીને રજૂ કરેલા અર્થઘટનને ભારતે ફગાવ્યું હતું. ભારતે ચીનને સાફ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ૧૯૫૯માં ચીન દ્વારા લદ્દાખમાં એકપક્ષીય રીતે નક્કી કરવામાં આવેલી LACને ભારતે ક્યારેય સ્વીકારી જ નથી કે ચીનના આવા દાવા પર ક્યારેય સર્વસંમતિ સધાઈ જ નથી. આમ લદ્દાખમાં ૧૯૫૯ની LAC અંગે ચીનના દાવાને ભારતે ફગાવ્યો હતો. ચીન દ્વારા એકપક્ષીય રીતે LAC પરની હાલની સ્થિતિ બદલવા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે ભારતે કહ્યું હતું કે ચીન એકપક્ષીય રીતે સ્થિતિમાં ફેરફાર કરી શકે નહીં. બંને દેશો LAC ખાતે યથાસ્થિતિ જાળવવા પ્રતિબદ્ધ છે. ચીન દ્વારા ક્યારેય તૈયારી દર્શાવવામાં ન આવતા LAC ખાતે સીમાંકન કરવાની પ્રોસેસ હાથ ધરી શકાઈ નથી.