વિશ્વના દેશોની સાથે-સાથે દેશમાં પણ કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1.50 લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના તાજા જારી થયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,51,767 થઈ ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધી 4337 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6387 નવા કેસ નોંધાયા છે અને 170 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી 64,426 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 42.45 ટકાએ પહોંચ્યો છે.
વિશ્વના દેશોની સાથે-સાથે દેશમાં પણ કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1.50 લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના તાજા જારી થયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,51,767 થઈ ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધી 4337 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6387 નવા કેસ નોંધાયા છે અને 170 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી 64,426 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 42.45 ટકાએ પહોંચ્યો છે.