ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે સરકારે કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જતાં જોઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીઓ પર ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોગ્ય વિભાગે આ લેબોરેટરીઓને જણાવ્યું છે કે, સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં.
આ ઉપરાંત ટેસ્ટ કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે. આ તમામ સૂચનાઓનું લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે સરકારે કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જતાં જોઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીઓ પર ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોગ્ય વિભાગે આ લેબોરેટરીઓને જણાવ્યું છે કે, સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં.
આ ઉપરાંત ટેસ્ટ કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે. આ તમામ સૂચનાઓનું લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.