Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના પોઝિટિવ જાહેર થયેલાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા પણ શુક્રવારે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં છે. ગત સપ્તાહે મહાનાયક અમિતાભ બચ્ચન તથા તેમના પુત્ર અભિષેક કોરોના પોઝિટિવ હોવાનું જણાયા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તેના બીજા દિવસે ઐશ્વર્યા અને આરાધ્યા પણ પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, માતા-પુત્રી બંનેને અન્ય કોઇ લક્ષણો નહીં હોવાથી તેઓ ઘરે રહીને જ સારવાર લેશે એવું નક્કી થયું હતું.

જોકે, ઐશ્વર્યાને સહેજ તાવ જણાતાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ અપાઇ હતી. તેને પગલે શુક્રવારે ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે હોસ્પિટલમાં દાખલ થતાં બચ્ચન પરિવારના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું હતું. અમિતાભ અને અભિષેકની તબિયત સુધારા પર હોવાનું અગાઉ જણાવાયું હતું.

કોરોના પોઝિટિવ જાહેર થયેલાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા પણ શુક્રવારે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં છે. ગત સપ્તાહે મહાનાયક અમિતાભ બચ્ચન તથા તેમના પુત્ર અભિષેક કોરોના પોઝિટિવ હોવાનું જણાયા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તેના બીજા દિવસે ઐશ્વર્યા અને આરાધ્યા પણ પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, માતા-પુત્રી બંનેને અન્ય કોઇ લક્ષણો નહીં હોવાથી તેઓ ઘરે રહીને જ સારવાર લેશે એવું નક્કી થયું હતું.

જોકે, ઐશ્વર્યાને સહેજ તાવ જણાતાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ અપાઇ હતી. તેને પગલે શુક્રવારે ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે હોસ્પિટલમાં દાખલ થતાં બચ્ચન પરિવારના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું હતું. અમિતાભ અને અભિષેકની તબિયત સુધારા પર હોવાનું અગાઉ જણાવાયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ