કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે દિલ્હી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફ્રી વાઈફાઈને લઈને નિશાન સાધ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, કેજરીવાલજી તમે કહ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં ફ્રી વાઈ-ફાઈ આપશો. હું રોડ પર વાઈ-ફાઈ શોધતા શોધતા આવ્યો છું, બેટરી પૂરી થઈ ગઈ પરંતુ મને વાઈ-ફાઈ મળ્યું નહીં. જેનો જવાબ આપતા કેજરીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સર, અમે ફ્રી વાઈ-ફાઈની સાથે ફ્રી બેટરી ચાર્જિંગની વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે દિલ્હી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફ્રી વાઈફાઈને લઈને નિશાન સાધ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, કેજરીવાલજી તમે કહ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં ફ્રી વાઈ-ફાઈ આપશો. હું રોડ પર વાઈ-ફાઈ શોધતા શોધતા આવ્યો છું, બેટરી પૂરી થઈ ગઈ પરંતુ મને વાઈ-ફાઈ મળ્યું નહીં. જેનો જવાબ આપતા કેજરીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સર, અમે ફ્રી વાઈ-ફાઈની સાથે ફ્રી બેટરી ચાર્જિંગની વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી છે.