દેશના અર્થતંત્રમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનો દાવો એક સર્વેના રિપોર્ટમાં કરાયો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ઇકોરેપ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં એવો દાવો કરાયો હતો કે શ્રમિકો પહેલાં કરતાં હવે સપ્ટેંબર દરમિયાન ઘરે વધુ પૈસા મોકલતા હતા. એજ રીતે પ્રોવિડન્ટ ફંડમાં પણ વધુ પૈસા જમા થતા જોઇ શકાયા હતા.
આ અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે ઇમિગ્રન્ટ શ્રમિકો દ્વારા પહેલાંની તુલનાએ હવે વધુ પૈસા ઘરે મોકલાઇ રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં જેટલી રકમ મજૂરો ઘરે મોકલતા હતા એટલી જ સપ્ટેંબરમાં મોકલતા જણાયા હતા. એ જ રીતે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પણ નવા રજિસ્ટ્રેશન વધ્યા હતા. મંગળવારે પ્રગટ કરાયેલા રિપોર્ટ મુજબ જનધન ખાતાંઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. આવા ખાતાંની સંખ્યા 41 કરોડના આંકને વટાવી ગઇ હતી.
દેશના અર્થતંત્રમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનો દાવો એક સર્વેના રિપોર્ટમાં કરાયો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ઇકોરેપ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં એવો દાવો કરાયો હતો કે શ્રમિકો પહેલાં કરતાં હવે સપ્ટેંબર દરમિયાન ઘરે વધુ પૈસા મોકલતા હતા. એજ રીતે પ્રોવિડન્ટ ફંડમાં પણ વધુ પૈસા જમા થતા જોઇ શકાયા હતા.
આ અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે ઇમિગ્રન્ટ શ્રમિકો દ્વારા પહેલાંની તુલનાએ હવે વધુ પૈસા ઘરે મોકલાઇ રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં જેટલી રકમ મજૂરો ઘરે મોકલતા હતા એટલી જ સપ્ટેંબરમાં મોકલતા જણાયા હતા. એ જ રીતે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પણ નવા રજિસ્ટ્રેશન વધ્યા હતા. મંગળવારે પ્રગટ કરાયેલા રિપોર્ટ મુજબ જનધન ખાતાંઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. આવા ખાતાંની સંખ્યા 41 કરોડના આંકને વટાવી ગઇ હતી.