પાકિસ્તાન સાથે થયેલા છેલ્લા સંઘર્ષમાં ચાયના-ફેકટર ભુલવું અશક્ય છે. તેમ કહેતા કોંગ્રેસ નેતા શશી થરૂરે આગળ કહ્યું : છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા હતા, પરંતુ તેમાં થોડા મહિનાઓથી અવરોધ આવી ગયો છે.
ઓપરેશન સિંદૂર અંગે ભારતની સત્ય વાત સમજાવવા વિવિધ દેશોમાં ભારતે મોકલેલા પ્રતિનિધિ મંડળો પૈકી અમેરિકા ગયેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેનારા કોંગ્રેસના નેતા શશી થરૂરે અહીંના દૂતાવાસમાં ગુરૂવારે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકી થિન્ક-ટેન્ક સમક્ષ ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી હતી.