Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેને જોતા અમદાવાદ ખાતે વધુ બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ પોલીસે આંબેડકર બ્રિજ અને સરદાર બ્રિજ/જમાલપુર બ્રિજ બંધ કર્યા છે. વાહનોની અવર-જવર અટકાવવા પોલીસે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય સાથે હવે શહેરના માત્ર 3 જ બ્રિજ પરથી અવર જવર થશે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ અને શાસ્ત્રી બ્રિજ ચાલુ રહેશે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ પોલીસે આ અંગે એક ટ્વીટ કરી માહિતી આપી છે. શહેરના જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નહેરૂ બ્રિજ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજને પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેને જોતા અમદાવાદ ખાતે વધુ બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ પોલીસે આંબેડકર બ્રિજ અને સરદાર બ્રિજ/જમાલપુર બ્રિજ બંધ કર્યા છે. વાહનોની અવર-જવર અટકાવવા પોલીસે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય સાથે હવે શહેરના માત્ર 3 જ બ્રિજ પરથી અવર જવર થશે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ અને શાસ્ત્રી બ્રિજ ચાલુ રહેશે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ પોલીસે આ અંગે એક ટ્વીટ કરી માહિતી આપી છે. શહેરના જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નહેરૂ બ્રિજ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજને પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ