Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ૨૭ વર્ષ બાદ લખનઉ સ્થિત વિશેષ અદાલત બુધવારે ચુકાદો જાહેર કરશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ૩૨ આરોપી છે. વિશેષ સીબીઆઇ અદાલતના જજ એસ કે યાદવે ૧૬ સપ્ટેમ્બરના રોજ તમામ ૩૨ આરોપીને કેસના ચુકાદા માટે ૩૦મી સપ્ટેમ્બરે અદાલતમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. આ કેસના આરોપીઓમાં પૂર્વ કેન્દ્રીયમંત્રીઓ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણસિંહ, ભાજપના નેતા વિનય કટિયાર, સાધ્વી ઋતંભરાનો સમાવેશ થાય છે. ઉમા ભારતી અને કલ્યાણસિંહ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હોવાથી તેઓ અદાલતમાં હાજર રહેશે કે કેમ તે અનિશ્ચિત છે. બાબરી મસ્જિદનો ધ્વંસ કરાયો ત્યારે રાજ્યના સીએમ કલ્યાણસિંહ સપ્ટેમ્બર ૨૦૧૯માં રાજસ્થાનના રાજ્યપાલપદેથી દૂર કરાયા બાદ તેમની સામે કેસની કાર્યવાહી શરૂ કરાઇ હતી. હાલમાં રામમંદિર નિર્માણ માટેના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય પણ આ કેસના આરોપી છે.
 

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ૨૭ વર્ષ બાદ લખનઉ સ્થિત વિશેષ અદાલત બુધવારે ચુકાદો જાહેર કરશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ૩૨ આરોપી છે. વિશેષ સીબીઆઇ અદાલતના જજ એસ કે યાદવે ૧૬ સપ્ટેમ્બરના રોજ તમામ ૩૨ આરોપીને કેસના ચુકાદા માટે ૩૦મી સપ્ટેમ્બરે અદાલતમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. આ કેસના આરોપીઓમાં પૂર્વ કેન્દ્રીયમંત્રીઓ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણસિંહ, ભાજપના નેતા વિનય કટિયાર, સાધ્વી ઋતંભરાનો સમાવેશ થાય છે. ઉમા ભારતી અને કલ્યાણસિંહ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હોવાથી તેઓ અદાલતમાં હાજર રહેશે કે કેમ તે અનિશ્ચિત છે. બાબરી મસ્જિદનો ધ્વંસ કરાયો ત્યારે રાજ્યના સીએમ કલ્યાણસિંહ સપ્ટેમ્બર ૨૦૧૯માં રાજસ્થાનના રાજ્યપાલપદેથી દૂર કરાયા બાદ તેમની સામે કેસની કાર્યવાહી શરૂ કરાઇ હતી. હાલમાં રામમંદિર નિર્માણ માટેના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય પણ આ કેસના આરોપી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ