Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ એક્ટર સંજય દત્તના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સંજય દત્તને ફેફસાનું ત્રીજા સ્ટેજનું એડવાન્સ કેન્સર છે. રિપોર્ટ અનુસાર, તેઓ પોતાની સારવાર માટે અમેરિકા જઈ શકે છે.

જો કે સંજય દત્તે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેઓ સારવાર માટે એક નાનો બ્રેક લઈ રહ્યાં છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સંજય દત્તને થર્ડ સ્ટેજનું લંગ કેન્સર છે. જો કે સંજય દત્તે પોતાના ટ્વીટમાં ફેન્સને જણાવ્યું કે, કોઈ ચિંતા ના કરે અને કોઈ કયાસ ના લગાવશો.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અભિનેતા સંજય દત્તને તાજેતરમાં જ શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુ:ખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજયે પોતાના શુભચિંતકો અને ફેન્સને સંદેશ આપ્યો હતો કે, તેઓ પોતાની સારવાર માટે નાનો બ્રેક લઈ રહ્યાં છે અને બિનજરૂરી અફવાઓ પર ધ્યાન ના આપે. તમારા પ્રેમ અને શુભકામનાથી હું જલ્દી પરત ફરીશે. શનિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સંજય દત્તોનો કોરોના ટેસ્ટ થયો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સંજય દત્ત ઘણાં વ્યસ્ત છે. આગામી ફિલ્મ “સડક-2”માં તે આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તેમની ફિલ્મ “ટોરબાજ” પણ થોડા સમય બાદ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે KGF પાર્ટ-2માં અભિનેતા યશ સાથે જોવા મળશે.

આ સિવાય અજય દેવગન સાથે પણ એક ફિલ્મમાં પણ સંજય દત્ત કામ કરી રહ્યો છે. સંજય દત્તના ફેન્સ પણ આ સમાચાર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યાં છે.

બોલિવૂડ એક્ટર સંજય દત્તના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સંજય દત્તને ફેફસાનું ત્રીજા સ્ટેજનું એડવાન્સ કેન્સર છે. રિપોર્ટ અનુસાર, તેઓ પોતાની સારવાર માટે અમેરિકા જઈ શકે છે.

જો કે સંજય દત્તે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેઓ સારવાર માટે એક નાનો બ્રેક લઈ રહ્યાં છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સંજય દત્તને થર્ડ સ્ટેજનું લંગ કેન્સર છે. જો કે સંજય દત્તે પોતાના ટ્વીટમાં ફેન્સને જણાવ્યું કે, કોઈ ચિંતા ના કરે અને કોઈ કયાસ ના લગાવશો.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અભિનેતા સંજય દત્તને તાજેતરમાં જ શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુ:ખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજયે પોતાના શુભચિંતકો અને ફેન્સને સંદેશ આપ્યો હતો કે, તેઓ પોતાની સારવાર માટે નાનો બ્રેક લઈ રહ્યાં છે અને બિનજરૂરી અફવાઓ પર ધ્યાન ના આપે. તમારા પ્રેમ અને શુભકામનાથી હું જલ્દી પરત ફરીશે. શનિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સંજય દત્તોનો કોરોના ટેસ્ટ થયો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સંજય દત્ત ઘણાં વ્યસ્ત છે. આગામી ફિલ્મ “સડક-2”માં તે આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તેમની ફિલ્મ “ટોરબાજ” પણ થોડા સમય બાદ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે KGF પાર્ટ-2માં અભિનેતા યશ સાથે જોવા મળશે.

આ સિવાય અજય દેવગન સાથે પણ એક ફિલ્મમાં પણ સંજય દત્ત કામ કરી રહ્યો છે. સંજય દત્તના ફેન્સ પણ આ સમાચાર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ