ચૂંટણી પંચે બુધવારે ૧૧ રાજ્યોમાં ૫૬ વિધાનસભા બેઠકો અને બિહારમાં એક લોકસભાની બંઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બાકી રહેલી ૫૬ વિધાનસભા બેઠકો અને બિહારમાં લોકસભાની એક બેઠકની પેટાચૂંટણી ૩ અને ૭ નવેમ્બરના રોજ યોજાશે. આ સાથે ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગણા અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભાઓની ખાલી બેઠકોની ચૂંટણીનો તખતો તૈયાર થયો છે. ચૂંટણીનાં પરિણામ ૧૦મી નવેમ્બરે જાહેર કરાશે. મણિપુર સિવાયના ૧૦ રાજ્યોની ૫૪ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું જાહેરનામું ૧૦મી ઓક્ટોબરના રોજ બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર રહેશે અને ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. મણિપુરની બે બેઠકો અને બિહારની એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનું જાહેરનામું ૧૩ ઓક્ટોબરે બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૩ ઓક્ટોબર રહેશે. મણિપુર સિવાયના તમામ રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન ૩ નવેમ્બરે અને મણિપુરની બે બેઠક અને બિહારમાં લોકસભાની એક બેઠક પર મતદાન ૭ નવેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ૨૫મી સપ્ટેમ્બરે અમારા દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું પેટાચૂંટણીમાં પણ સખતાઇથી પાલન કરવાનું રહેશે.
ચૂંટણી પંચે બુધવારે ૧૧ રાજ્યોમાં ૫૬ વિધાનસભા બેઠકો અને બિહારમાં એક લોકસભાની બંઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બાકી રહેલી ૫૬ વિધાનસભા બેઠકો અને બિહારમાં લોકસભાની એક બેઠકની પેટાચૂંટણી ૩ અને ૭ નવેમ્બરના રોજ યોજાશે. આ સાથે ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગણા અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભાઓની ખાલી બેઠકોની ચૂંટણીનો તખતો તૈયાર થયો છે. ચૂંટણીનાં પરિણામ ૧૦મી નવેમ્બરે જાહેર કરાશે. મણિપુર સિવાયના ૧૦ રાજ્યોની ૫૪ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું જાહેરનામું ૧૦મી ઓક્ટોબરના રોજ બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર રહેશે અને ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. મણિપુરની બે બેઠકો અને બિહારની એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનું જાહેરનામું ૧૩ ઓક્ટોબરે બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૩ ઓક્ટોબર રહેશે. મણિપુર સિવાયના તમામ રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન ૩ નવેમ્બરે અને મણિપુરની બે બેઠક અને બિહારમાં લોકસભાની એક બેઠક પર મતદાન ૭ નવેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ૨૫મી સપ્ટેમ્બરે અમારા દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું પેટાચૂંટણીમાં પણ સખતાઇથી પાલન કરવાનું રહેશે.