વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે 7 માર્ચના રોજ બપોરે સુરતના એરપોર્ટ આવ્યા બાદ સેલવાસ ખાતે નવનિર્મિત નમો હોસ્પિટલ સહિત રૂ.2578 કરડોના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. સેલવાસ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધીને સુરત પરત ફર્યા હતા. જ્યાં તેમણે 3 કિલોમીટરનો રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જાહેરસભાને વડાપ્રધાને સંબોધી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે 8 માર્ચે વડાપ્રધાન નવસારીના કાર્યક્રમ માટે રવાના થશે. નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.