અમદાવાદ પ્લેન ક્રેશ અંગે AAIB દ્વારા મોડી રાતે રિપોર્ટ જાહેર કરાયો. આ મામલે હવે એર ઈન્ડિયા અને બોઈંગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. એર ઈન્ડિયાએ શનિવારે કહ્યું કે અમે નિયામક અને અન્ય હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને એએઆઈબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ જારી કરાયા બાદ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચાલી રહેલી તપાસમાં અધિકારીઓને સહયોગ કરવાનું ચાલુ રાખીશું.