વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે સવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા ખરડા સહિત ૩ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન રાજ્યસભામાં ભારે વિરોધના કારણે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ પસાર થઇ ન શકતાં રદ થઇ ગયું હતું. હવે સરકાર આગામી સપ્તાહમાં આ ખરડો સંસદમાં રજૂ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે સવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા ખરડા સહિત ૩ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન રાજ્યસભામાં ભારે વિરોધના કારણે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ પસાર થઇ ન શકતાં રદ થઇ ગયું હતું. હવે સરકાર આગામી સપ્તાહમાં આ ખરડો સંસદમાં રજૂ કરશે.