દેશમાં કોવિડ-19 સંક્રમણના નવા કેસો સામે આવવાની સંખ્યામાં છેલ્લા અનેક દિવસોથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સામે કોરોનાને મ્હાત આપી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,893 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 508 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,90,322 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 59 હજાર 509 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 58,439 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 6,10,803 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,20,010 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોવિડ-19 સંક્રમણના નવા કેસો સામે આવવાની સંખ્યામાં છેલ્લા અનેક દિવસોથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સામે કોરોનાને મ્હાત આપી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,893 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 508 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,90,322 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 59 હજાર 509 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 58,439 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 6,10,803 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,20,010 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.