કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે જણાવ્યું કે, સરકાર કોઈપણ ટેલિકોમ કંપનીને બંધ નહીં થવા દે કે તેનું સંચાલન પણ ભારતમાં બંધ નહીં થવા દે. સરકાર તમામ કંપનીઓ અને ટેલિકોમ સેક્ટર સાથે જરૂરી મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા થકી ટેલિકોમ કંપનીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વોડાફોનના સીઈઓ દ્વારા આપવામાં આવેલી ચીમકીને પગલે નાણાપ્રધાને ટેલિકોમ સેક્ટરને સાચવી લેવાના સંકેત આપ્યા છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે જણાવ્યું કે, સરકાર કોઈપણ ટેલિકોમ કંપનીને બંધ નહીં થવા દે કે તેનું સંચાલન પણ ભારતમાં બંધ નહીં થવા દે. સરકાર તમામ કંપનીઓ અને ટેલિકોમ સેક્ટર સાથે જરૂરી મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા થકી ટેલિકોમ કંપનીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વોડાફોનના સીઈઓ દ્વારા આપવામાં આવેલી ચીમકીને પગલે નાણાપ્રધાને ટેલિકોમ સેક્ટરને સાચવી લેવાના સંકેત આપ્યા છે.