ભારતીય રિઝર્વ બેન્કની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ ગુરુવારે એકોમોડેટિવ વલણ યથાવત રાખતાં દેશનું અર્થતંત્ર સંકટમાંથી પસાર થઇ રહ્યું હોવાના દાવાઓને માન્યતા આપી દીધી છે. કમિટીએ ૨૦૧૯-૨૦ના વર્તમાન નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથરેટમાં ૧.૧ ટકાનો તોતિંગ ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથરેટ પાંચ ટકા પર રહેવાનું અનુમાન આપ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ ગુરુવારે એકોમોડેટિવ વલણ યથાવત રાખતાં દેશનું અર્થતંત્ર સંકટમાંથી પસાર થઇ રહ્યું હોવાના દાવાઓને માન્યતા આપી દીધી છે. કમિટીએ ૨૦૧૯-૨૦ના વર્તમાન નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથરેટમાં ૧.૧ ટકાનો તોતિંગ ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથરેટ પાંચ ટકા પર રહેવાનું અનુમાન આપ્યું છે.