Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં FIR નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દેખાવ કરતા યુવકો ઉપર કોઈ જ પ્રકારનો લાઠીચાર્જ ન થયો હોવાની વાત પણ તેમણે કહી હતી.

તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરતા પ્રદિપસિંહે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર 2 દિવસમાં એકશન લેશે. જે સંડોવાયેલા છે તેની સામે પગલા જરૂર લેવાશે. સંચાલકો, ખંડ નિરીક્ષકોને બોલાવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ આવતી કાલથી આ અંગે સુનાવણી શરૂ કરશે. જે પેપર લીક થયું તે દાવો ખોટું હોવાનો પુરવા પણ આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. આ સાચો માણસ દંડાઈ ન જાય એ માટે આ કામગીરી ઝીણવટ પૂર્વક ચાલી રહી છે.

પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત

બિન સચિવાલય પરીક્ષાને લઈને કોંગ્રસના ધારાસભ્ય સી.જે ચાવડાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે બિન સચિવાલય પરીક્ષા રદ થવી જોઈએ. કારણ કે ભૂતકાળના અનેક પ્રકારના કૌભાંડો આવ્યા છે. પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત રાખવામાં આવશે અને કોગેસ વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવશે. જરૂર પડે તો વિધાનસભાનો કોંગ્રેસ બહિષ્કાર કરવાનો સી.જે સાવડાએ ચિમકી ઉચ્ચારી છે.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં FIR નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દેખાવ કરતા યુવકો ઉપર કોઈ જ પ્રકારનો લાઠીચાર્જ ન થયો હોવાની વાત પણ તેમણે કહી હતી.

તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરતા પ્રદિપસિંહે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર 2 દિવસમાં એકશન લેશે. જે સંડોવાયેલા છે તેની સામે પગલા જરૂર લેવાશે. સંચાલકો, ખંડ નિરીક્ષકોને બોલાવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ આવતી કાલથી આ અંગે સુનાવણી શરૂ કરશે. જે પેપર લીક થયું તે દાવો ખોટું હોવાનો પુરવા પણ આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. આ સાચો માણસ દંડાઈ ન જાય એ માટે આ કામગીરી ઝીણવટ પૂર્વક ચાલી રહી છે.

પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત

બિન સચિવાલય પરીક્ષાને લઈને કોંગ્રસના ધારાસભ્ય સી.જે ચાવડાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે બિન સચિવાલય પરીક્ષા રદ થવી જોઈએ. કારણ કે ભૂતકાળના અનેક પ્રકારના કૌભાંડો આવ્યા છે. પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત રાખવામાં આવશે અને કોગેસ વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવશે. જરૂર પડે તો વિધાનસભાનો કોંગ્રેસ બહિષ્કાર કરવાનો સી.જે સાવડાએ ચિમકી ઉચ્ચારી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ