એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ભલામણને આધારે મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનાર હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા હવે નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અગાઉ કિંગફિશરના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર એટલે કે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ભલામણને આધારે મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનાર હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા હવે નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અગાઉ કિંગફિશરના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર એટલે કે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.