ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માચિસ પાછી નહીં મળતાં પોતાના જૂનિયર એન્જિનિયરને સત્તાવાર પત્ર લખ્યો હતો. મુરાદાબાદ વીજ વિભાગની આ ઘટના છે. ત્યાં સહાયક એન્જિનિયર સુશીલકુમારે પોતાની માચિસની ડબ્બી પાછી નહીં કરનાર જૂનિયર એન્જિનિયરને લખેલા પત્ર અંગે ઉત્તરપ્રદેશના એડિશનલ એસપીએ પણ ટ્વિટ કર્યું હતું કે માચિસ પાછી ના મળે તો કહેજો વિધિવત કાર્યવાહી કરાશે.