પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં મોતની સજાનું એલાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટેની ત્રણ ખંડપીઠે મોતની સજા સંભળાવી છે. હાલમાં મુશર્રફ દુબઇમાં છે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બર, 2007માં ઇમરજન્સી સ્થિતિ માટે પરવેજ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 31 માર્ચ 2014માં તેમને દોષિત જાહેર કરાયા હતા.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં મોતની સજાનું એલાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટેની ત્રણ ખંડપીઠે મોતની સજા સંભળાવી છે. હાલમાં મુશર્રફ દુબઇમાં છે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બર, 2007માં ઇમરજન્સી સ્થિતિ માટે પરવેજ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 31 માર્ચ 2014માં તેમને દોષિત જાહેર કરાયા હતા.