આજે બુધવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદમાં તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે. તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.વહેલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચીને પુષ્પાંજલિ કરશે.
નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબર અને સરદાર જયંતિએ સવારે સાડા 6 કલાકે ગાંધીનગર ખાતેથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની જવા માટે રવાના થશે. તેઓ પોણા 8 વાગ્યે કેવડિયા પહોંચીને આઠ વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ કરશે.
આ દિવસે જ PM મોદી સવારે સાડા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે સાડા 12 વાગ્યાથી અઢી વાગ્યા સુધી વડાપ્રધાન મોદી અધિકારીઓ સાથે સંવાદ કરશે અને બપોરે એક વાગ્યે તેઓ સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ કેવડિયા કોલોનીથી વડોદરા જવા રવાના થશે. વડોદરાથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.
આજે બુધવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદમાં તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે. તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.વહેલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચીને પુષ્પાંજલિ કરશે.
નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબર અને સરદાર જયંતિએ સવારે સાડા 6 કલાકે ગાંધીનગર ખાતેથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની જવા માટે રવાના થશે. તેઓ પોણા 8 વાગ્યે કેવડિયા પહોંચીને આઠ વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ કરશે.
આ દિવસે જ PM મોદી સવારે સાડા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે સાડા 12 વાગ્યાથી અઢી વાગ્યા સુધી વડાપ્રધાન મોદી અધિકારીઓ સાથે સંવાદ કરશે અને બપોરે એક વાગ્યે તેઓ સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ કેવડિયા કોલોનીથી વડોદરા જવા રવાના થશે. વડોદરાથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.