દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાન સભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી હતી કે પ્રશાંત કિશોરની સંસ્થા ઈન્ડિયા-પેક (I-PAC) આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાનને સંભાળશે. વર્ષ 2015માં આ પક્ષને 70 પૈકી 67 બેઠક પર જીત મળી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના માટે પણ કર્યું હતું કામ
આંધ્ર પ્રદેશમાં વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંતની સંસ્થાએ જગન મોહન રેડ્ડીના ચૂંટણી અભિયાનને સંભાળ્યું હતું. જગને ચૂંટણીમાં એક તરફી જીત મેળવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ તેઓ શિવસેના સાથે જોડાયા હતા. પ્રશાંત વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કામ કરી રહ્યા છે.
દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાન સભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી હતી કે પ્રશાંત કિશોરની સંસ્થા ઈન્ડિયા-પેક (I-PAC) આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાનને સંભાળશે. વર્ષ 2015માં આ પક્ષને 70 પૈકી 67 બેઠક પર જીત મળી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના માટે પણ કર્યું હતું કામ
આંધ્ર પ્રદેશમાં વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંતની સંસ્થાએ જગન મોહન રેડ્ડીના ચૂંટણી અભિયાનને સંભાળ્યું હતું. જગને ચૂંટણીમાં એક તરફી જીત મેળવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ તેઓ શિવસેના સાથે જોડાયા હતા. પ્રશાંત વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કામ કરી રહ્યા છે.