દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલા સુરક્ષાને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પોક્સો એક્ટમાં આરોપીઓ માફીને લાયક નથી. પોક્સોના આરોપીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઇએ. આવા મામલાઓમાં દયાની અરજીની જોગવાઇ બંધ થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે નિર્ભયા બળાત્કાર કેસમાં આરોપીની દયા અરજી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મોકલી છે. તેને અસ્વીકૃત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલા આરોપીઓએ તેમની દયા અરજી દિલ્હી સરકાર સમક્ષ કરી હતી. આ દયા અરજીને ફગાવી દેતાં દિલ્હી સરકારે તેનો અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલા સુરક્ષાને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પોક્સો એક્ટમાં આરોપીઓ માફીને લાયક નથી. પોક્સોના આરોપીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઇએ. આવા મામલાઓમાં દયાની અરજીની જોગવાઇ બંધ થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે નિર્ભયા બળાત્કાર કેસમાં આરોપીની દયા અરજી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મોકલી છે. તેને અસ્વીકૃત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલા આરોપીઓએ તેમની દયા અરજી દિલ્હી સરકાર સમક્ષ કરી હતી. આ દયા અરજીને ફગાવી દેતાં દિલ્હી સરકારે તેનો અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો.